નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) સરકાર, લોકસભામાં મુસ્લિમ વુમન (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ) બિલ, 2018 પસાર કરવાના તેના પગલાને બહાદુરીભર્યુ ગણાવે છે. આ ચાલ ઘણાને પ્રગતિશીલ દેખાઈ શકે છે. જો કે, તેને માત્ર તેના આમૂખના આધારે સમર્થન કરવું ભૂલ ગણાશે. ઉદાહરણ તરીકે, સરકાર સંસદીય પસંદગી સમિતિને બિલ મોકલવાનો ઇનકાર કરે છે અને તે આવા કાયદામાં તમામ હિસ્સેદારોની લોકશાહીની ભાવના અને સમાવેશની વિરુદ્ધ જાય છે. વધુ હેરાન કરતી બાબત એ છે કે કેન્દ્રિય કાયદા પ્રધાનનો આ તર્જ પર "12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના બળાત્કારના મૃત્યુ દંડને સુનિશ્ચિત કરવા માટે ઓર્ડિનેશન પસાર કરતા પહેલાં સરકારે બળાત્કારીઓનો મત લીધો નહોતો" તર્ક વિચિત્ર છે. તદુપરાંત, ટ્રીપલ તલાક બિલમાં આરોપીને અપરાધી ઠરાવવા માટેની જોગવાઈમાં ઘણી સમસ્યા છે. લગ્ન એક નાગરિક કરાર હોવાથી કારણ કે આ કરારનું ઉલ્લંઘન સિવિલ એક્શનની માંગ કરે છે, પરંતુ બિલ તેને કોગ્નિઝેબલ બિનજામીનપાત્ર ગુનો બનાવે છે.
સરકારની દલીલ કે તે 201 માં સુપ્રીમ કોર્ટના ચુકાદાના જવાબમાં બિલ લાવવામાં આવ્યું છે અને આ દલીલ અપૂરતી છે. તે માત્ર લઘુમતી ચુકાદો હતો જેમાં તેમણે ટ્રિપલ તલાકની પ્રથાને નાબૂદ કરવા માટે કાયદો લાવવા સરકારને વિનંતી કરી હતી કારણ કે તે પર્સનલ લો અને ધાર્મિક પ્રથાઓથી સંબંધિત બાબત માનવામાં આવતી હતી. જો સરકારને મુસ્લિમ મહિલાઓ માટેના ન્યાયની ચિંતા હોય તો તે કોંગ્રેસના સાંસદ (એમપી) દ્વારા મુકવામાં આવેલા પ્રાઇવેટ મેમ્બર્સ બીલને ધ્યાને લઈ શકે છે, જેમાં તલાકની સંહિતા અને લગ્ન વિસર્જનની યોગ્ય પ્રક્રિયા ઉભી કરવાની વાત કરવામાં આવી હતી. ખાસ કરીને જેઓએ વ્યાપક પરામર્શ માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી તેવા મહિલા જૂથોની માગણીઓ હોવા છતાં, સરકારે આ કાયદાને નામે ન્યાયના નામે અપરાધિકરણના તેના એકલ પૂર્વગ્રહને આગળ ધર્યો છે.